મોરબીની સોની બજારમાં બ્રિજેશ મેરજાએ લોકોને પાઠવી દિપાવલીની શુભેચ્છાઓ

મોરબીના ધારાસભ્ય અને રાજ્યના પંચાયત મંત્રીશ્રી બ્રિજેશ મેરજાએ આજરોજ મોરબીના નહેરુ ગેઇટથી દરબાર ગઢ મેઇન બજાર (સોની બજાર) માં પ્રજાજનોને રૂબરૂ મળીને દીપાવલીની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમની સાથે નગરપાલિકાના ઉપપ્રમુખશ્રી જયરાજસિંહ જાડેજા સહિત અનેક કાઉન્સીલરો તેમજ ભાજપ અગ્રણીઓ જોડાયા હતા.

જેમાં શ્રી રુચિરભાઈ કારીયા, પ્રદીપભાઇ વાળા, કલ્પેશભાઈ રવેશીયા,કમલભાઈ દેસાઇ, સુરેશભાઈ શીરોંહિયા, નરેન્દ્રભાઈ પોપટ, પરિમલભાઈ ઠક્કર,  અનોપસિંહ જાડેજા, કેતનભાઈ રાણપરા, નલિનભાઈ ભટ્ટ, સિધ્ધરાજસિંહ ઝાલા, ખોડુભા વાઘેલા, ધવલભાઈ પંડ્યા, બળવંત સનાળીયા સહિત અનેક ભાજપ અગ્રણીઓ બહોળી સંખ્યામાં જોડાયા હતા.

આ તકે લોકોએ પણ રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાની કામગીરીને બિરદાવી તેમને હાર પહેરાવી તેમજ મીઠાઇ ખવડાવીને અભિનંદન આપ્યા હતા.