ટંકારા ના હમીરપર ગામે વાડીએ ઝેરી દવા પી જતા આધેડ નું મોત.

ટંકારા ના હમીરપર ગામે વાડીએ કોઈ કારણોસર ઝેરી દવા પી જતા સારવાર દરમિયાન 50 વર્ષીય આધેડ નું મોત નીપજ્યું છે ત્યારે આ અંગે ટંકારા પોલીસ મથકમાં નોંધ કરવામાં આવી છે.

આ અંગે મળતી વધુ માહિતી મુજબ ટંકારા ના હમીરપર ગામે રહેતા રમેશભાઈ વસ્તાભાઈ કરશિયા ઉંમર વર્ષ 50 વાળા ગત તારીખ 24/10 ના સાંજના સાડા સાતેક વાગ્યાની આસપાસ હમીરપર ગામે જેંતીભાઈ ડાયાભાઈ ની વાડીએ કોઈ કારણોસર ઝેરી દવા પી ગયા હોય ત્યારે તેમને પ્રથમ સારવાર માટે પડધરી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા બાદ તેમને વધુ સારવાર માટે બેભાન હાલતમાં જ રાજકોટ સરકારી હોસ્પિટલમાં ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા ત્યારે રાજકોટ સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન ફરજ પર હાજર ડોક્ટર પંકજ દુધરેજીયા એ તારીખ 25/10 ના રાત્રીના 3:30 કલાકે તેમને મૃત જાહેર કર્યા હતા. ત્યારે આ અંગે ટંકારા પોલીસ મથકમાં અપમૃત્યુ ની નોંધ કરવામાં આવી છે