હમીરપર ગામે કુવામાં પડી જતા વૃદ્ધા નું મોત.

ટંકારા ના હમીરપર ગામે ગામની બાજુમાં આવેલ કુવામાં પડી જતા 65 વર્ષીય વૃદ્ધાએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.

આ અંગે મળતી સત્તાવાર માહિતી મુજબ ટંકારાના હમીરપર ગામે રહેતા જયાબેન મનજીભાઈ ભોરણીયા ઉંમર વર્ષ 65 વાળા તારીખ તારીખ 25/10 ના રોજ સવારના સાતેક વાગ્યા પહેલા કોઈ સમયે હમીરપર ગામે ગામની બાજુમાં આવેલ કુવામાં પડી જતા ડૂબી ગયા હોય ત્યારે તેમનું મોત નીપજ્યું હતું ત્યારે આ અંગે ટંકારા પોલીસ મથકમાં અપમૃત્યુ ની નોંધ કરવામાં આવી છે.