મંત્રી બ્રિજેશભાઈ મેરજા 2 દિવસ મોરબીના પ્રવાસે: સરદાર પટેલની પ્રતિમા અનાવરણ તેમજ રાષ્ટ્ર ભાવના રેલી કાર્યક્રમમાં આપશે હાજરી

શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત (સ્વતંત્ર હવાલો) ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ રાજયમંત્રી બ્રિજેશભાઇ મેરજા 2 દિવસ મોરબી જિલ્લાના પ્રવાસે આવી રહ્યા છે.
મંત્રી બ્રિજેશભાઇ મેરજા આવતીકાલે તા.૩૦ને રવિવારના રોજ ૯ કલાકે ગાળા ખાતે નાલા-પુલીયાની કામગીરીનું ખાતમુહૂર્તના કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યારબાદ ૧૧ કલાકે ભાજપા કાર્યાલય મોરબી ખાતે મન કી બાત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. સાંજે ૪ કલાકે મોરબીમાં અજયભાઈ લોરીયા સંચાલિત સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન દ્વારા આયોજિત લોખંડી પુરૂષ સરદાર પટેલ તેમજ ક્રાંતિવિરોની પ્રતિમા અનાવરણ સમારોહ તથા રાષ્ટ્રભાવના રેલી કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તા.૩૧ને સોમવારના ૭ થી ૯ કલાકે મોરબી ખાતે રન ફોર યુનિટિ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.