મોરબી ના રફાળેશ્વર ગામે જાહેરમાં જુગાર રમતા ૫ પત્તા પ્રેમીઓ ઝડપાયા.

મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે આવેલ ખોડીયાર માતાજીના મંદિર પાસેથી જાહેરમાં જુગાર રમતા ૫ જુગારીઓને પોલીસ દ્વારા પકડી પડવામાં આવ્યા છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ રફાળેશ્વર ગામે આવેલ ખોડીયાર માતાજીના મંદિર પાસે અમુક પત્તાપ્રેમીઓ જાહેરમાં જુગાર રમતા હોઈ ત્યારે પોલીસ દ્વારા ત્યાર રેઇડ કરી તેમનું નામ ઠામ પૂછતા તેઓ
૦૧)અનિલભાઇ ખાતુભાઇ ઘુમોડ
૦૨)કૈલાસભાઇ ડેલસિંગ રાઠોડ
૦૩)રાકેશ બાથુભાઇ હામોડ
૦૪)ટીટાભાઇ પીઠીયાભાઇ હામોડ
૦૫)ભારતભાઇ વરસીંગભાઇ મકવાણા વાળા હોઈ ત્યારે પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી છે ઉપરાંત તેમની પાસેથી રોકડા રૂ.૧,૦૮૦/- કબ્જે કરવામાં આવ્યા હતા . બાદ જુગારધારા અન્વયે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.