વડાપ્રધાનની અધ્યક્ષતામાં મોરબી ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં મોરબી ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. મોરબી પુલ દુર્ઘટના બાબતે યોજાયેલી આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા, સાંસદ મોહનભાઈ કુંડારિયા તથા વિનોદભાઈ ચાવડા, મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરા, ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરિયા, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા

ઉપરાંત મુખ્યસચિવ પંકજકુમાર, મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કે.કૈલાસનાથન, રાજય પોલીસ વડા આશિષ ભાટીયા, રેન્જ આઈજી અશોક યાદવ, જિલ્લા પ્રભારી મનીષાચંદ્રા સહિત સરકારના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.