મોરબી પુલ દુર્ઘટના રામાનંદી સાધુ સમાજનો સ્નેહમિલન કાર્યક્રમ તથા જગત ગુરુ ભગવન્નિમ્બાકાચાયૅ જયંતી મહોત્સવ મોકુફ

શ્રી રામાનંદી સાધુ જ્ઞાતી ટ્રસ્ટ મોરબી માળીયા મી દ્વારા રામાનંદ ભવન રામ ઘાટ મોરબી મુકામે આગામી તા ૮/૧૧/૨૦૨૨ મંગળવાર કારતક સુદ પૂનમ ના જગત ગુરુ નિમ્બાકાચાયૅ જયંતી મહોત્સવ તથા રામાનંદી સાધુ સમાજ ના પરિવારોનુ નવાવર્ષ ના સ્નેહમિલન સમારોહ રાખેલ ,હતું પરંતુ તા ૩૦/૧૦/૨૦૨૨ ના જુલતો પુલ તૂટવા ની ગોજારી ઘટના બનતા અનેક લોકો મૃત્યુ ને ભેટ્યા અનેક લોકો ઈજા ગ્રસ્ત થયેલા હોય 

વાર તહેવાર વરસો વર્ષ આવવા ના છે પરંતુ દુઃખદાયક બનાવ મા બધા ના સહભાગી તો થઈ શકીએ તેમ નથી પરંતુ એક વર્ષ ઉત્સવ ન મનાવી દુઃખદાયક ઘટના ના સહભાગી થવા માટે તમામ કાર્યક્રમ રદ કરેલ છે જેથી તમામ રામાનંદી સાધુ સમાજ ને જાણ થાય કે જગત ગુરુ ભગવન્નિમ્બાકાચાયૅજીનુ પુજન અર્ચન રાખેલ હતું જે હવે બંધ રાખેલ છે જેની દરેક જ્ઞાતી બંધુઓએ નોધ લેવા પ્રમુખ દિનેશ ભાઈ નિમાવત 

મંત્રી ચંદ્રકાંત ભાઈ રામાનુજ 

રામાનંદી સાધુ જ્ઞાતી ટ્રસ્ટ 

મોરબી માળીયા મી. ની યાદી માં જાણવામાં આવ્યું છે