ઘરકામ બાબતે પરણીતા ને મેણા ટોણા મારી માર મારવામાં આવ્યો.

રાજકોટ ના કોઠારીયા મેઇન રોડ પર પોતાના સાસરીયા પક્ષના ઘરે સસરા,પતિ અને જેઠ જેઠાણી દ્વારા ઘર કામ બાબતે અવાર નગર મેણા ટોણા મારી ફરિયાદી ને માનસિક ત્રાસ આપી માર મારવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે.

 

આ અંગે મળતી માહિતી મુજબ રાજકોટ ના કોઠારીયા રોડ પર જૂના ગણેશનગર શેરી નં ૬ માં રહેતા અને મૂળ વાંકાનેર ના રહેવાસી જલ્પાબેન અશોકભાઈ સોલંકી એ મોરબી મહિલા પોલીસમાં તકમાં ફરિયાદ નોંધાવી છે કે તેમના લગ્ન રાજકોટ ખાતે રામભાઈ બાબુભાઈ ભટ્ટી સાથે થયા હોય ત્યારે તેમના પતિ રામભાઈ ભટ્ટી તેમના સસરા બાબુભાઈ ભટ્ટી તેમના જેઠ અતુલભાઇ ભટ્ટી અને તેમના જેઠાણી વર્ષાબેન પટ્ટી રહે તમામ રાજકોટ કોઠારીયા મેઇન રોડ જુના ગણેશ નગર શેરી નંબર 6 વાળા અવારનવાર તેમને ઘરકામ બાબતે તેમજ રસોઈ બનાવવા બાબતે માનસિક દુઃખ ત્રાસ આપી તેમજ અવનવા નાની નાની બાબતે મેણા ટોણા મારી ગાળો આપે ઢીકા પાટણ મૂડમાં મારી તેમાં ચરિત્ર અંગે શંકા વહેમ કરી સાથે મળી શારીરિક અને માનસિક દુઃખ ત્રાસ આપતા હોય ત્યારે આ અંગે જલ્પાબેન એ મોરબી મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.