મોરબીના પાંચથી વધુ ગામોને કૃષિ રાહત પેકેજમાં સમાવેશના થતાં અન્યાય

મોરબીના નારણકા, માનસર, ખેવારીયા, ગોરખીજડીયા, વનાળીયા સહિતના ગામોનો કૃષિ રાહત પેકેજ-૨૦૨૨માં સમાવેશના કરાતા રજુઆત

મોરબી જિલ્લામાં વધુ વરસાદના કારણે અનેક ગામોમાં પાકને નુકશાની પહોંચી છે. ત્યારે સરકારે કૃષિ રાહત પેકેજ-૨૦૨૨ જાહેર કર્યું છે. જેમાં મોરબીના માનસર, નારણકા, ખેવારીયા, ગોરખીજડીયા, વનાળીયા સહિતના ગામોને કૃષિ રાહત પેકેજમાં સમાવેશ ના કરાતા ખેડૂતોને અન્યાય થતાં ગ્રામપંચાતોના સરપંચોએ જીલ્લા ખેતીવાડી અધિકારીને લેખિત રજુઆત કરી છે.

જેમાં માનસર, નારણકા, ખેવારીયા, ગોરખીજડીયા, વનાળીયા ગામોના સંરપચોએ લેખિત રજુઆતમાં જણાવ્યું હતું કે, ખરીફ સીઝન ૨૦૨૨માં સતત વરસાદ થતા અમારા ગામોમાં ખેડૂતોને પાક નુકશાની થયેલ જે બાબતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, કલેકટર, પંચયાત મંત્રી બ્રિજેશ મેરજા, કૃષિ મંત્રીને અમારા ગામોને પાક નુકશાની સહાય ચૂકવવા માંગણી કરેલ પરંતુ ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવેલ જેમાં અમારા ગામોનો સમાવેશ કરવામાં આવેલ નથી આટલી-આટલી રજુઆતો કરવા છતાં શા માટે અમારા ગામોનો સમાવેશ કરવામાં આવેલ નથી વધુમાં જે ગામોની રજૂઆત પણ મળેલ નહતી તેવા ગામોનો આ જાહેર કરેલ પેકેજ તેમાં સમાવેશ કરવામાં આવેલ છે તો ક્યા કારણોસર અમારા ગામોનો સમાવેશ કરવામાં આવેલ નથી જેના કારણો સહિત જવાબ આપવા જિલ્લા ખેતીવાડી અધિકારીને રજૂઆત કરી છે. અને સંતોષકારક જવાબ નહીં મળે તો ન્યાયતંત્રનો સહારો લેવાની જરૂર પડશે તેવી ચીમકી ઉચચ્ચારી છે.