ઓમ શાંતિ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ દ્વારા જુલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ

મોરબીની ઓમ શાંતિ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ દ્વારા દ્વિતીય શૈક્ષણિક સત્ર શરૂ થતા ના પ્રથમ દિવસે મોરબી જુલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ દિવંગતોને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ પાઠવવા માટેનું શાળા દ્વારા આયોજન કરેલું હતું.

શ્રદ્ધાંજલિ સભામાં સ્કૂલના ટ્રસ્ટી સુમંત પટેલ સર તથા સ્કૂલના પ્રિન્સિપાલ સનામેડમ હાજર રહ્યા હતા. પ્રિન્સિપલ મેડમ દ્વારા વિદ્યાર્થીઓ તથા સ્ટાફ ગણને મીણબત્તી પેટાવીને તથા મૌન ધારણ કરાવીને પરમ કૃપાળુ પરમાત્મા આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ તમામ દિવંગતોને શાંતિ અર્પે તેમ જ તેમના પરિવાર પર આવી પડેલ અણધારી આફતના સમયે દુઃખ સહન કરવાની શક્તિ આપે એ જ ઈશ્વર પાસે પ્રાર્થના કરી હતી.