પૂલ દુર્ઘટના માં જીવ ગુમાવેલ દિવંગતો ની આત્માના શાંતિ અર્થે વિષ્ણુયાગ યજ્ઞ યોજાયો.

ગત તારીખ 30 ના રોજ મોરબીમાં બનેલ ગોઝારી પુલ દુર્ઘટના મા ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ત્યારે આ તમામ દિવંગતોના આત્માના શાંતિ અર્થે મોરબી તાલુકા બ્રહ્મ સમાજ દ્વારા વિષ્ણુયાગ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબીના બાપા સીતારામ ચોકમાં આવેલ નરસંગ મંદિર માં મોરબી તાલુકા બ્રહ્મા સમાજના પ્રમુખ શ્રી કૌશિકભાઈ વ્યાસ, ઉપપ્રમુખશ્રી હાર્દિકભાઈ વ્યાસ તેમજ મહામંત્રી શ્રી હરીશભાઈ પંડ્યા અને નિમિષભાઈ તિલાવત સહિતના ભૂદેવો દ્વારા પુલ દુર્ઘટનામાં જીવ ગુમાવેલ દિવંગતોની આત્માના શાંતિ અર્થે વિષ્ણુયાગ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અલગ અલગ હોમાત્મક પદાર્થોથી આહુતિઓ આપીને દિવંગત આત્માઓના શાંતિ અર્થે યજ્ઞ કરવામાં આવ્યો છે. તેમજ ભગવાન ને પ્રાર્થના કરવામાં આવી હતી.