મોરબી ખાતે શ્રી મામા સાહેબનો મોજીલું માંડલું યોજાશે

ધર્મેશભાઈ રાવળદેવ-રાજકોટ વાળા સહીત ના ડાક નાં માણીગરો ની ઉપસ્થિતી માં કાર્યક્રમ નું અનેરૂ આયોજન

મોરબી અયોધ્યાપુરી રોડ સ્થિત શ્રી જલારામ મંદિર પાસે બિરાજમાન મસ્તાના મામાદેવ નુ મોજીલું માંડલું કાર્યક્રમ તા.૨૩-૧૧-૨૦૨૨ બુધવાર ના રોજ રાત્રે ૯ કલાકે યોજાશે. કાર્યક્રમ માં ડાક ના માણીગર ધર્મેશભાઈ રાવળદેવ-રાજકોટ વાળા સહીત નાં કલાકારો ડાક ની રમઝટ બોલાવશે.

આ કાર્યક્રમ માં શહેર ની દરેક ધર્મપ્રેમી જનતા ને પધારવા આયોજક ભાવીનભાઈ ઘેલાણી તથા હીતેશભાઈ જાની દ્વારા ભાવભર્યુ નિમંત્રણ પાઠવવા માં આવ્યુ છે.