ભાજપના અગ્રણીઓએ જલારામબાપાના ચરણોમાં વંદન કરી આશિર્વાદ પ્રાપ્ત કર્યા

મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે કાંતિલાલ અમૃતિયા ના ધર્મપત્નિ જ્યોત્સના બેન અમૃતિયા, શહેર ભા.જ.પ. પ્રમુખ લાખાભાઈ જારીયા, જયુભા જાડેજા, રાઘવજીભાઈ ગડારા,અનીલભાઈ વરમોરા, નિલેશભાઈ જેતપરીયા, ભાવેશભાઈ કંઝારીયા સહીતનાં અગ્રણીઓએ પૂ.જલારામબાપા ના ચરણો માં વંદન કરી આશિર્વાદ પ્રાપ્ત કર્યા.

ગીરીશભાઈ ઘેલાણી, નરેન્દ્રભાઈ રાચ્છ, કીશોરભાઈ ચંડીભમર, દીપકભાઈ પોપટ, ભાવીનભાઈ ઘેલાણી, અનિલભાઈ સોમૈયા, મનોજભાઈ ચંદારાણા, રમેશભાઈ બુધ્ધદેવ સહીતનાં જલારામ મંદિર ના અગ્રણીઓ દ્વારા ઉપસ્થિત મહાનુભવો નું અભિવાદન કરવા માં આવ્યુ.

મોરબી શહેર તેમજ આસપાસ નાં વિસ્તારો માં વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે મોરબી-માળીયા ૬૫ વિધાનસભા નાં ભા.જ.પ. ના ઉમેદવાર મા.શ્રી. કાંતિભાઈ અમૃતિયા નાં ધર્મપત્નિ શ્રીમતિ જ્યોત્સનાબેન અમૃતિયા, શહેર ભા.જ.પ. પ્રમુખ લાખાભાઈ જારીયા, જયુભા જાડેજા, રાઘવજીભાઈ ગડારા, અનિલભાઈ વરમોરા, નિલેશભાઈ જેતપરીયા, ભાવેશભાઈ કંઝારીયા સહીત નાં અગ્રણીઓ દ્વારા પૂ. જલારામ બાપા ના ચરણો માં વંદન કરી પૂ.જલારામબાપા નાં આશિર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ તકે મોરબી જલારામ મંદિર નાં અગ્રણીઓ દ્વારા ઉપસ્થિત દરેક મહાનુભવો નુ અભિવાદન કરવા માં આવ્યુ હતુ.

અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી જલારામ મંદિર દ્વારા વિવિધ પ્રકાર ની માનવસેવા જેવી કે બિનવારસી મૃતદેહ ના અંતિમસંસ્કાર, વૈકુંઠરથ સેવા, અંતિમયાત્રા બસ, શબવાહીની સેવા, એમ્બ્યુલન્સ સેવા,મેડિકલ સાધનો ની સેવા, દરરોજ બપોરે તથા સાંજે પ્રસાદ ની વ્યવસ્થા, પદયાત્રીઓની સેવા, અસ્થિ વિસર્જન સેવા, બ્લડ ડોનેશન, દર મહીને વિનામુલ્યે નેત્રમણી-નેત્રમણી કેમ્પ, કુદરતી આફત સમયે સેવા વગેરે કોઈપણ જાત નાં નાત-જાત ના ભેદભાવ વગર સમાજ ને વિનામુલ્યે પ્રદાન કરવા માં આવે છે.

આજ દીન સુધીમાં કુલ ૧૫ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ માં કુલ ૪૪૫૮ લોકો નુ સચોટ નિદાન કરવા માં આવ્યુ છે. મોરબી જલારામ મંદિર ની અવિરત સેવાકીય પ્રવૃતિઓ બદલ ઉપસ્થિત મહાનુભવોએ સંસ્થાના અગ્રણીઓને બિરદાવ્યા હતા તેમજ પૂ.જલારામબાપા ની સેવાજ્યોત મોરબી મુકામે અવિરતપણે પ્રજ્જલવિત રાખવા બદલ સેવા ના ભેખધારીઓને શુભકામનાઓ સહ અભિનંદન પાઠવ્યા હતા.