સ્વ.નવલચંદભાઈ પ્રાણજીવનભાઈ દક્ષિણી ની પૂણ્યતિથી નિમિતે સાર્થક શ્રધ્ધાંજલિ અર્પણ કરી
સ્વ.નવલચંદભાઈ પ્રાણજીવનભાઈ દક્ષીણી ની પૂણ્યતિથી નિમિતે તેમના સુપુત્રી રઘુવંશી ક્રાંતિ મંચ ના મોરબી જીલ્લા ના મહિલા અગ્રણી ભાવનાબેન અનિલભાઈ સોમૈયા તથા ધર્મપત્નિ ધીરજબેન દક્ષિણી દ્વારા મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા મહાપ્રસાદ યોજી લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરી સાર્થક શ્રધ્ધાંજલિ અર્પણ કરવા મા આવી હતી.
આ તકે મોરબી જલારામ મંદિર ના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી, નિર્મિત કક્કડ, ભાવીન ઘેલાણી,ચિરાગ રાચ્છ, મનિષ પટેલ, સહીતનાઓ એ સદ્ગત ને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.