મોરબી થી ભડીયાદ મહેમુદ શાહ બુખારીના ઉર્સ મુબારક પ્રસંગે જતા પદયાત્રીઓનું રામધન આશ્રમ ખાતે સન્માન સાથે સ્વાગત કરી આપ્યો એકતાનો સંદેશ

રિપોર્ટ: આરીફ દિવાન મોરબી : મોરબી પ્રજાસત્તાક દિન નિમિત્તે મોરબી થી ભડીયાદ હજરત મહેમુદ શાહ બુખારી ના ઉર્સ મુબારક પ્રસંગે પગપાળા જતી મેદની ના મહેમાનોનું મહેન્દ્રનગર રામધન આશ્રમ ખાતે 26 જાન્યુઆરી 2023 ના રોજ સાંજે ચાર કલાકે પગપાળા જતા મેદીના મહેમાનોનું સવાગત ભેર ફુલહારથી આવકાર સન્માન કરવામાં આવ્યું હતું

જેમાં રામધન આશ્રમના મહંત શ્રી ભાવેશ્વરી માતાજી અને આશ્રમના સેવકો એવા દિલીપભાઈ પૂજારી મુકેશ ભગત સહિત મહાદેવ ભગત શૈલેષભાઈ વગેરે કોમી એકતા ના પ્રતીક પગપાળા જતા પદયાત્રીઓનું ફુલહારથી સ્વાગત કરી સન્માન કર્યું હતું જેમાં મેદીનીના સંચાલક જેન્યુન ફાઉન્ડેશન ના પ્રમુખ આરીફભાઈ બલોચે મુકેશ ભગતનું સાલ ઓઢાડી સ્વાગત કરી હતું જે સમગ્ર કાર્યક્રમની તસવીર દ્રશ્યમાન થાય છે