ટંકારા : સજનપર ખાતે બાપા સીતારામ મઢુલી ગ્રુપ દ્વારા ૭ વર્ષથી પદયાત્રીઓ માટે કેમ્પ

“ચા પાણી નાસ્તો જમવાનું નિસ્વાર્થ ભાવે સમગ્ર ગ્રામજનો દ્વારા સાત દિવસનો કેમ્પ દર વર્ષની જેમ રાબેતા મુજબ રહ્યો”

ટંકારા તાલુકાના સજનપર ગામ ખાતે ઢેબરા ની ઢાર ખાતે નિસ્વાર્થ ભાવે સજનપર ગામ જનો દ્વારા દ્વારકાધીશ ના પદયાત્રીઓ માટે છેલ્લા સાત વર્ષથી સતત સેવાકાર્ય કેમ્પ ચાલી રહ્યો છે જે આ વર્ષે પણ રાબેતા મુજબ ગત તારીખ 4–3-2022 ના રોજ બાપા સીતારામ ની કૃપા થી સેવાભાવીઓ દ્વારા શરૂ કયો છે જેમાં ગરમ ગરમ રોટલા રોટલી તેમજ સ્વાદિષ્ટ દાળ ભાત રોટલી શાક તેમજ કઢી ખીચડી નો સવાદ પદયાત્રીઓને સતત મળી રહ્યો છે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમગ્ર સર્જનપર ગામજનો ના સહયોગથી આયોજકો દ્વારા પદયાત્રીઓ માટે વ્યવસ્થા કરવામાં આવી છે જે સમગ્ર તસવીરમાં નજરે પડે છે