મોરબીના મનોદિવ્યાંગ બાળકોનો જમ્મુ-કાશ્મીર નો પ્રવાસ થશે

12 એપ્રિલ ના રેલ્વે દ્વારા કટરા સુધી સ્વખર્ચે જતી આ ટુર ને કટરા પહોચ્યા પછી રહેવા-જમવા-વીઆઈપી દર્શન વૈષ્ણવ દેવી સાઈન બોર્ડ દ્વારા કરવા માં આવેલ છે.

સ્વ ખર્ચ કેટલો?? એક દિવ્યાંગ લાભાર્થી અને એનો એક એસ્કોર્ટ એમ 2 વ્યક્તિ ની નોન એસી,સ્લીપર ક્લાસ ની રેલ્વે કન્સેશન પાસ નો ઉપયોગ કરી ને ટિકિટ લો,તો 700 ₹અને બન્ને નાં ટ્રેન મા જમણવાર ના બીજા 400 ₹ ઉમેરો તો માત્ર 1100 ₹ નો ખર્ચ 2 વ્યકિત વચ્ચે થશે.કટરા પહોચ્યા પછી નો ખર્ચ ત્યાંની સંસ્થા નો…જેમાં રહેવા-જમવા-વીઆઈપી દર્શન નો સમાવેશ થાય છે.

વીઆઈપી દર્શન માંજ લોકો ચાલી શકે છે એમણે માત્ર 6 કી.મી. ચાલી અર્ધ કુમારીદેવી પહોંચવા નુ,અને ત્યાં થી ઈ-કાર થી મંદિર સુધી જવાનું,અને જે લોકો ચાલી શકવા ને અક્ષમ હોય એમના માટે તળેટી થઈ જ વિનામૂલ્ય ઘોડા,ઈ-કાર જેવી સુવિધા ઉપલબ્ધ કરવા માં આવશે.

મનોદિવ્યાંગ બાળકો /એસ્કોર્ટ એ જવા ની ઈચ્છા હોય તો એ સંપર્ક કરશે. વિજયભાઈ-8000070694