આવતીકાલે : મોરબીના આ વિસ્તારોમાં વિજ કાપ રહેશે

તારીખ ૨૬.૦૪.૨૦૨૩ ના બુધવાર ના રોજ નવા કામની કામગીરી તથા મેન્ટેનન્સની કામગીરી કરવાની હોઇ PGVCL ના મોરબી શહેર-૨ પેટા વિભાગ હેઠળ આવતો ૧૧ કેવી શ્રધ્ધા ફીડર સવારે ૦૭:૦૦ થી બપોરના ૦૨:૩૦ વાગ્યા સુધી બંધ રહેશે. જેની આ ફીડરમા આવતા તમામ વિજ ગ્રાહકોએ નોંધ લેવી. જેમા યમુના નગર, શ્રધ્ધા પાર્ક, શાંતિવન સોસા, રણછોડ નગર ૧/૨, નિધિ પાર્ક, લાયન્સ નગર, ગોર ખીજડીયા રોડ, વિજય નગર, મદીના સોસા, અમરેલી રોડ, પ્રકાશ પાર્ક, શાંતિવન સોસા, કુલી નગર ૧/૨ વગેરે વિસ્તારો તથા આસપાસ ના વિસ્તારો પાવર સપ્લાય બંધ રહેશે.
કામ પૂર્ણ થયે કોઈ પ્રકાર ની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવા માં આવશે.

તારીખ ૨૬.૦૪.૨૦૨૩ ના બુધવાર ના રોજ નવી લાઈન કામની તથા મેન્ટેનન્સની કામગીરી કરવાની હોઇ PGVCL ના મોરબી શહેર-૧ પેટા વિભાગ હેઠળ આવતો ૧૧ કેવી રાજનગર ફીડર સવારે ૦૭:૦૦ થી બપોરના ૦૨:૦૦ વાગ્યા સુધી બંધ રહેશે. જેની આ ફીડરમાં આવતા તમામ વિજ ગ્રાહકોએ નોંધ લેવી. જેમાં રાજનગર સોસાયટી, ધર્મસિદ્ધી સોસાયટી, ધર્મ ભૂમિ સોસાયટી, શ્રીમદ રાજ સોસાયટી, નિત્યાનંદ સોસાયટી, નાની કેનાલ વાળો રોડ, પંચાસર રોડ પર આવેલ પંપિંગ હાઉસ, સતવારા એસ્ટેટ વાળો વિસ્તાર, નવા મુનનગર વિસ્તાર, સત્યમ હોલ, મુનનગર ચોક ની આજુબાજુનો વિસ્તાર, લાતી પ્લોટ-૩,૪,૫,૬ નો અમુક વિસ્તાર, મફતિયાપરા વિસ્તાર, ટેલીફોન એક્સચેન્જ વાળો વિસ્તાર, વગેરે વિસ્તારમાં પાવર સપ્લાય બંધ રહેશે.