મોરબી : પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓનો ગૃહ પ્રવેશ કાર્યક્રમ યોજાશે

મોરબી જિલ્લાના કુલ ૨૦ ગામોના ૩૫ લાભાર્થીઓનો  ગૃહપ્રવેશ કાર્યક્રમ

મોરબી જિલ્લા ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજનાનાં લાભાર્થીઓનો ગૃહપ્રવેશ કાર્યક્રમ આગામી તા.૧૨.૦૫.૨૦૨૩ના રોજ યોજાશે.

        લાભાર્થીઓના ગૃહપ્રવેશનો આ કાર્યક્રમ વડાપ્રધાનની અધ્યક્ષતામાં યોજાનાર ગાંધીનગર ખાતેના કાર્યક્રમની સમાંતર મોરબી  જિલ્લામાં પણ લાભાર્થીઓનો ગૃહ પ્રવેશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જે અન્વયે મોરબી જિલ્લાના તમામ તાલુકામાંના કુલ ૨૦ ગામોના  ૩૫ લાભાર્થીઓનું પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત લોકાર્પણ કરવામાં આવશે.

જે અન્વયે હળવદ તાલુકાનું ૧, માળિયા તાલુકાનાં ૨, મોરબી તાલુકાના ૫, ટંકારા તાલુકાનાં ૭ અને વાંકાનેર તાલુકાનાં ૨૦ એમ કુલ 35 ઘરોનું લોકાર્પણ કરવામાં આવશે.