મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા પોલીસ ને લગતી ફરિયાદ અંતર્ગત બગથળા ગામ ખાતે લોક દરબાર યોજાશે

મોરબી કોરોના મહામારી અંતર્ગત છેલ્લા ઘણા સમયથી લોક પ્રશ્નો અંતર્ગત લોકદરબાર યોજવામાં હળવા પડેલ હોય જે કોરોના મહામારી દૂર થતાંની સાથે જ વિવિધ વિસ્તારોમાં પ્રજા ચિંતન પ્રશ્નો અંતર્ગત જિલ્લા કક્ષાના અધિકારીઓ એ લોક સમસ્યા શહેર જિલ્લા થી લઇ ગ્રામ્ય વિસ્તારોમાં પ્રજાના પ્રશ્નો અંતર્ગત જિલ્લા પોલીસ વડાએ લોક દરબાર નું આયોજન કર્યું છે જેમાં પોલીસને લાગતા પ્રશ્નો અંતર્ગત ખુલ્લા મનથી લોકો ફરિયાદ કરી ગુનેગારોની ફરિયાદ કરી શકે તેમ તારીખ 15-3-2022 મંગળવારે મોરબી તાલુકાના બગથળા ગામ ખાતે લોક દરબાર યોજવાનું આયોજન કર્યું છે જેમાં અસામાજિક પ્રવૃત્તિઓ સહિત પ્રજા માટે ચિંતક ગંભીર પ્રશ્નો પોલીસ ને લગતી વિગતો અંગે નો લોક દરબાર યોજવામાં આવશે તેમ જિલ્લા પોલીસ કચેરી માંથી જાહેરાત કરવામાં આવી છે