મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા પુરુષોતમ માસ દરમિયાન યાત્રાળુઓ માટે રહેવા-જમવાની વ્યવસ્થા અપાશે

પવિત્ર પુરુષોતમ માસ દરમિયાન ભક્તિભાવ નો મહિમા અનેરો છે ત્યારે દેશભર માંથી લોકો વિવિધ યાત્રા ધામો ના દર્શનાર્થે જતા હોય છે. સૌરાષ્ટ્ર ની પાવન ધરતી પર વિવિધ યાત્રાધામો આવેલ છે તેથી વિવિધ સ્થળે થી લોકો સુપ્રસિધ્ધ યાત્રાધામો ની મુલાકાતે આવતા હોય છે.

ત્યારે યાત્રાળુઓ મોરબી મુકામે આરામ કરી શકે તેમજ તેમના માટે રહેવા-જમવા ની ઉતમ વ્યવસ્થા થાય તે માટે મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા પવિત્ર પુરુષોતમ માસ દરમિયાન યાત્રાળુઓ માટે ઉતારા ની વ્યવસ્થા કરવા માં આવશે તેમ સંસ્થા ના અગ્રણી હરીશભાઈ રાજા, જયેશભાઈ કંસારા તથા જયેશભાઈ ટોળીયા એ યાદી માં જણાવ્યુ છે.

બહારગામ થી આવતા યાત્રા સંઘ માટે યોગ્ય વ્યવસ્થા થઈ શકે તે હેતુસર બે દીવસ અગાઉ અનિલભાઈ સોમૈયા- મો. ૮૫૧૧૦૬૦૦૬૬, હરીશભાઈ રાજા- મો. ૯૮૭૯૨૧૮૪૧૫ પર સંપર્ક કરી સંખ્યા નોંધાવવા ની રહેશે તેમ સંસ્થાના અગ્રણીઓએ જણાવ્યુ છે.