મોરબી રામાનંદી સાધુ સમાજના તેજસ્વી તારલાઓનું સરસ્વતી સન્માન કાર્યક્રમ યોજાયો

મોરબી જિલ્લા વિકાસ અધિકારી દિગ્વિજયસિંહ જાડેજા રહ્યા હાજર

રામાનંદી સાધુ જ્ઞાતિ ટ્રસ્ટ મોરબી દ્વારા આયોજિત તેજસ્વી વિદ્યાર્થીઓ ના સન્માન સમારોહ નું આયોજન જ્ઞાતિ ની વાડી રામઘટ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં સમાજના તેજસ્વી તારલાનું સન્માન કરવામાં આવ્યું હતું

આ તકે મોરબી જિલ્લા ડીડીઓ ડી. ડી. જાડેજા હાજર રહ્યા હતા તેમજ મહેન્દ્ર નગર રામધન આશ્રમ ના મહંત ભાવેશ્વરીબેન , નિવૃત્ત ટીડીઓ અનિરૂદ્ધભાઈ રામાવત, સિદ્ધાર્થ ભાઈ નિરંજની, તેમજ મહેન્દ્રસિંહ ડી ઝાલા (રંગપર) વાળા ની વિશેષ ઉપસ્થિતિ રહી હતી સમગ્ર કાર્યક્રમ ની મોરબી માળિયાં મી રામાનંદી સાધુ સમાજ ના પ્રમુખ ભૂપેન્દ્ર ભાઈ અગ્રાવત, ઉપ પ્રમુખ હિતેશ ભાઈ રામાનુજ, મંત્રી હિતેશ ભાઈ રામાવત , ખજાનચી રવીભાઈ રામાનુજ, (સભ્ય )પરેશ ભાઈ રામાવત , જીતેન્દ્ર ભાઈ રામાવત એ જહેમત ઊઠાવી હતી