વાંકાનેર દશનામ ગૌસ્વામી યુવા ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટના ઉપક્રમે બઢતી તથા સેવા નિવૃત્ત કર્મચારીઓનું સન્માન કરાયું

વાંકાનેર : શ્રી દશનામ ગોસ્વામી યુવા ગ્રૂપ ચેરીટેબલ ટ્રસ્ટ વાંકાનેર દ્વારા વાંકાનેરના રવિગીરી હરેશગીરી ગોસ્વામીની તલાટી મંત્રી માંથી નાયબ મામલતદાર તરીકે બઢતી થતા તેમને સાલ ઓઢાડી શુભેચ્છઓ પાઠવી હતી તેમજ વાંકાનેરના મહિલા આગેવાન ભાવનાબેન દલસુખવન ગોસ્વામી વયમર્યાદા કારણે પોતાની ફરજ નિષ્ઠા પૂર્વક નિભાવી સેવા નિવૃત થતા તેમને સાલ ઓઢાડી સારી તંદુરસ્તી માટે શુભકામનાઓ પાઠવી આશીર્વાદ મેળવ્યા હતા.

આ પ્રસંગને સફળ બનાવવા ભાજપના યુવા અગ્રણી ચેતનગીરી ગોસ્વામી તથા ટીમે જહેમત ઉઠાવી હતી.