પતિદેવો માટે લાલબત્તી સમાન કિસ્સો: પત્નીએ જ પતિને મોતને ઘાટ ઉતારી દીધો

(રિપોર્ટર – પંડયાજી : વાંકાનેર) : વાંકાનેર તાલુકાના માટેલ ઢુંવા રોડ ઉપર આવેલ શિવ ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનાના લેબર કવાટર્સમા રહેતા મધ્યપ્રદેશના વતની અર્જુનભાઇ સુમસિંહ ડામોર નામના યુવાનને તેની જ પત્ની કાળીબેને તા.૩ના રોજ મધ્યરાત્રીએ માથામા આંખ ઉપર તેમજ હાથના ભાગે કુહાડાના ઘા ઝીકી દેતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યા અર્જુનભાઈએ દમ તોડી દીધો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ પતિ અર્જુનસિંહ અન્ય સ્ત્રી સાથે ફોનમાં વાતો કરતો હોય જે પત્નીને સારૂ ન લાગતા પતિને કુહાડના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. હાલમાં પોલીસે હત્યારી પત્નીને ઝડપી લીધી હોવાની માહિતી મળી છે.