વાંકાનેર : રાજ્યસભાના નવનિયુક્ત સાંસદનો ક્ષત્રિય સમાજ દ્વારા સન્માન સમારોહ યોજાયો

(રિપોર્ટર – પંડયાજી વાંકાનેર): વાંકાનેરમા ક્ષત્રિય સમાજ દ્વારા રાજવી અને રાજ્યસભા સાંસદ તરીકે બિનહરીફ વરણી પામેલા કેશરીદેવસિંહ ઝાલા નો જ્યોતિ સિરામિક ખાતે ભવ્ય સન્માન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં વાંકાનેર શહેર તાલુકા સહિત ઝાલાવાડ સૌરાષ્ટ્રના ક્ષત્રિય સમાજના આગેવાનો હોદેદારો તથા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને ભવ્યાતિભવ્ય સન્માન કરાયું હતું.

પેઢી દર પેઢીથી પ્રજાવત્સલ રાજવી તરીકે ઓળખાતું વાંકાનેર સ્ટેટના આજના રાજવી કેશરીદેવસિહજી ઝાલા દ્વારા નાનામાં નાના માણસો થી માંડી દરેક વ્યક્તિ સમાજ પ્રત્યે આદરભાવ અને લાગણી સાથે પ્રજાના પ્રશ્નો સમસ્યાઓ દૂર કરવા હંમેશા માટે તત્પર રહે છે. કેશરીદેવસિંહ પ્રજાવત્સલ રાજવી હતા અને રાજ્યસભામાં સાંસદ તરીકે બિનહરીફ વરણી થતાં સોનામાં સુગંધ ભળે તેમ પ્રજાની સુખાકારી માટે કાળજી લેવામાં અગ્રેસર રહે છે જેના પરિણામે આજે વાંકાનેર મા રાજવીનું દરેક સમાજના લોકોનાં દિલમાં રાજવી સ્થાન ધરાવે છે.