મોરબી : ભાજપના નેતાએ નગરપાલીકા તંત્ર સામે કર્યો આક્ષેપ

મોરબી પાલિકા તંત્ર ખાડે ગયું છે હાલ હવે તો ખુદ ભાજપના નેતાનો પાલિકા વિરુદ્ધ અરજીઓ આપવા લાગ્યા છે મોરબી પાસે આવેલા લાલપર ગામે પાલિકા ગંદકીયુકત કચરો ઠલવતું હોય તેવી રાવ મોરબી જિલ્લા કલેકટર ને કરવામાં આવી છે પ્રજા ને સારી સુવિધાઓ તો નથી આપી શકતી પાલિકા પણ રોગચાળો વધે તેવું કામ હાલ કરી રહી છે તેવું આ અરજી દ્વારા લાગી રહ્યું છે

મોરબીના લાલપર ગામે 132 KV પાવર સ્ટેશન પાસે મોરબી નગરપાલીકાના ટ્રેકટર દ્વારા વેસ્ટ કચરો, મરેલા પ્રાણી, એઠવાડ જેવો ગંદકીયુકત કચરો ઠાલવવામાં આવે છે.

લાલપર ખાતે 132 KV પાવર સ્ટેશન આસપાસ સિરામિક ફેકટરી આવેલ છે. ફેકટરીમાં રહેતા વર્કરો, મજુરોની કોલોની તથા 132 KV પાવર સ્ટેશન ઓફીસ સુધી અત્યંત દુર્ગંધ આવતી હોય તેથી GETCO ના કર્મચારી તથા સિરામિક ફેકટરીના મજુરો ત્યાં રહેવા તૈયાર નથી.

કર્મચારી તથા મજુરોનું આરોગ્ય જોખમાય તેવી સંભાવના હોવાથી ત્યાં કચરો ઠાલવવાનું બંધ કરાવવા તથા સફાઈ કરાવવા મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાંસદડીયા દ્વારા મોરબી જીલ્લા કલેકટરને રજુઆત કરવામાં આવી છે