વાંકાનેરમાં તુલસીજીનાં રોપા સાથે કુંડાનું નિશુલ્ક વિતરણ કરાયું

રિપોર્ટર પંડયાજી વાંકાનેર : વાંકાનેર શહેરના જીનપરા ચોકમાં નિશુલ્ક તુલસીજીનાં ૧૦૦૦ રોપા તથા ૬૦૦ કુંડા તેમજ પક્ષીને પાણી પીવાના કુંડાનું નિશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતુ.

શહેરમાં બંસી મસાલા દ્વારા ૧૦૦૦ નિશુલ્ક વિતરણ તથા મિટ્ટી કુલ વાળા મનસુખભાઈ પ્રજાપતિ તરફથી ૬૦૦ માટીના કુંડા તેમજ પક્ષીઓના પીવાના પાણીના કુંડા નું નિશુલ્ક વિતરણ કરાયું હતું.

આયોજનને સફળ બનાવવા ભુપતભાઈ છૈયા, જીતેનભાઈ પોપટ, રવિભાઈ લખતરીયા, પીયૂષભાઈ ગોસ્વામી, જીતુભાઈ, ધર્મેન્દ્રસિંહ, મુળુભા વગેરે એ ભારે જહેમત ઉઠાવી હતી.