ગ્લોબલ કચ્છના સેમિનારમાં કેન્દ્રીય મંત્રી સાથે પાટીદાર રત્ન જયસુખભાઇની ઉપસ્થિતિ

જળ એજ જીવન છે ….. ગ્લોબલ કચ્છ દ્વારા ભુજ ખાતે વરસાદ ના પાણીની આવક, પ્રાકૃતિક ખેતી, જળ સંચય જેવા મહત્વના અને લોકોને ડાયરેક્ટ સ્પર્શ કરતા મુદ્દાઓ પર ખેડૂત મેડાવળા નું આયોજન કરેલ હતું જેમાં કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા અને અજંતા – ઓરેવા ગ્રુપ ના સુપ્રીમો જયસુખભાઇ પણ હાજર રહ્યા હતા. જયસુખભાઇ પટેલ દ્વારા સાલ ઓઢાડીને પરષોત્તમ રૂપાલાનું સ્વાગત કરાયેલ હતું.

આ તકે જળ સંચય ના કાર્યો ની શરૂઆત કરી તેને વેગવંતા બનાવનાર પાટીદાર ભામાશા ઓ. આર. પટેલ સાહેબને પણ સવિષેસ યાદ કરીને સંબોધિત કરેલ હતા અને જયસુખભાઇ પટેલ પણ તેમના પદ્દચિહ્નો પર આગળ વધી રહ્યા છે અને પોતાના વ્યસ્ત સેડયુલમાંથી સમય કાઢી લોક કલ્યાણકારી સુંદર કાર્ય બદલ સવિષેસ અભિનંદન પાઠવેલ હતા.

કેન્દ્રીય મંત્રી રૂપાલાએ આ તકે જણાવ્યું હતું કે, વિશ્વની ઓર્ગોનિક ફૂડની માંગને પુરી કરવા કચ્છના કિસાનો સક્ષમ છે. દેશમાં વિકાસની અનુકૂળતા ઊભી થઈ છે. પ્રાકૃતિક ખેતી- ઓર્ગેનિક ફૂડની વિશ્વની જરૂરિયાત અને માંગને પૂરી કરવાની તાકાત ભારતના ખેડુતોમાં અને કચ્છી ઓમાં છે સમગ્ર દેશ અને રાજયમાં હાઇએસ્ટ  ઇરિગેશન કચ્છ કરે છે. કચ્છીઓનો પોતાનો મિજાજ, જિંદાદિલી, ધીરજ, લક્ષ્યથી કામ કરવાની ધગશ છે. જેને અનુકૂળ અત્યારનું વાતાવરણ છે.

આ તકે ગ્લોબલ કચ્છના મયંક ગાંધી, વિશાલ ગડા, ઓરેવા ગ્રુપના એમડી જયસુખભાઈ પટેલ, અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, ભુજ નગરપતિ ઘનશ્યામભાઈ ઠક્કર, ઉપપ્રમુખ રેશ્માબેન ઝવેરી, , અગ્રણીકેશુભાઈપટેલ, પ્રગતિશીલ અગ્રણી ખેડુતો તેમજ વિવિધક્ષેત્રના કચ્છી અગ્રણીઓ, જનપ્રતિનિધઓ અગ્રણી નગરજનો ઉપસ્ધિત રહ્યા હતા.

કેન્દ્રીય મંત્રીએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા હાકલ કરી તેમજ પાણીના સંગ્રહ અને પાણીની બચત કરી કચ્છ ને નંદનવન બનાવવા તરફ પ્રયાસ કરનાર દરેક ને હાર્દિક અભિનંદન પાઠવેલ હતા.