મોરબી : ગૌરક્ષકો દ્વારા કતલખાને લઈ જવાતા (11) ગાય અને ગૌવંશ બચાવી લેવાયા

મોરબી હિન્દુ યુવા વાહિની ગૌરક્ષકો અને ટંકારા ગૌરક્ષક તથા જીવ દયા પ્રેમી દ્વારા કચ્છ હાજીપીર તરફ જતા કતલખાને લઈ જવાતા (11) ગાય અને ગૌવંશ બચાવી લેવામાં આવ્યા

ટંકારા ગૌરક્ષકો ટીમને અને મોરબી હિન્દુ યુવા વાહિની ગૌરક્ષક ના સભ્યોને જાણકારી મળી હતી કે ગાય અને ગૌવંશ નાના મોટા (11) જીઓને બોલેરો પીકપ માં ભરીને રાજકોટ મીતાણા તરફથી ગેરકાયદેસર કતલખાને (11) જવામાં આવી રહ્યા છે. જેથી મોરબી હિન્દુ યુવા વાહિની ટંકારા ગૌરક્ષક ની ટીમ દ્વારા બોલેરો પીકપ (3 )ગાડીઓ નંબર( GJ-12.BZ1948) (GJ18.BV1868) (GJ 12BZ9312)ને ગત તારીખ 11.8.2023 સવારના સમય મીતાણા બાજુથી ટંકારા બાજુ આવતા ટંકારા પાસે પસાર થતા તેને રોકવામાં આવી હતી અને તપાસ કરતાં બોલેરોમાં અલગ અલગ નિર્ણ પાણીની સુવિધા ન હોય અને કોઈ પાસ પરમિટ વગર લઈ જવાતા હોય ગેરકાયદેસર કતલખાને લઈ જવાની બાતમી મળતા પશુઓ ગેરકાયદે લઈ જવા તો હોય તેથી ટંકારા ગૌરક્ષક જીવદયા પ્રેમી મોરબી હિન્દુ યુવા વાહિની જિલ્લા અધ્યક્ષ અખિલ વિશ્વ ગૌસ્વાવર્ધન પરિષદ દિલ્હી ના ગુજરાત રાજ્ય સંગઠન મંત્રી કે બી બોરીચા દ્વારાવાહનના ચાલકોને પકડીને પોલીસને સોંપ્યા હતા અને ટંકારા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને મોરબી ના પાંજરાપોળ મા (11) જીવોને મુકવામાં આવ્યા હતા

આ કામગીરીના સાથી સાથી સંયોગી હિન્દુ યુવા વાહીની મોરબી જિલ્લા અધ્યક્ષ અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ દિલ્હી ગુજરાત રાજ્ય સંગઠન મંત્રી કે.બી. બોરીચા, હિન્દુ યુવા વાહિની મોરબી શહેર પ્રમુખ ચેતનભાઈ પાટડીયા, હરેશભાઈ ચૌહાણ, ચોટીલા અખિલ વિશ્વ ગૌશાલ પરિષદ દિલ્હી ના ગૌરક્ષક દલસુખભાઈ (ચોટીલા), પ્રશાંતભાઈ જીવ દયા ગૌરક્ષક, પાર્થભાઈ ગૌરક્ષક મોરબી, દિનેશભાઈ (એવીજીપી દિલ્હી), મોરબી હિરેનભાઈ વ્યાસ, રઘુભાઈ ભરવાડ, ગજેન્દ્રભાઈ બાબરા, દીપુભાઈ વાઘેલા (જસદણ), આહીર જેકી ભાઈ આહીર મોરબી ભરતભાઈ ગોગરા હિતરાજસિંહ પરમાર હર્ષભાઈ ટંકારા ગૌરક્ષક જીવદયા પ્રેમી સંદીપભાઈ ડાંગર સુરેશભાઈ ભરવાડ અને મોરબી ટંકારા ગૌરક્ષક ભાઈઓ હાજર રહીયા હતા પશુઓને કતલખાને જતાં બચાવાયા હતા.

આ કામગીરીમાં ટંકારા પોલીસ અધિકારી અને પોલીસ પ્રસાધન નો સારો એવો સહયોગ મળ્યો હતો