મોરબી : નાનીવાવડી ગામની પ્રાથમિક શાળાના 21 બાળકોનો જ્ઞાનસાધના સ્કોલરશીપમાં સમાવેશ

રાજ્ય સરકાર દ્વારા ગત જૂન માસમાં ધોરણ-8 માં લેવાયેલ જ્ઞાનસાધના સ્કોલરશીપ પરીક્ષામાં મોરબી તાલુકાની નાનીવાવડી કુમાર અને કન્યા પ્રાથમિક શાળાના કુલ 21 બાળકોનો મેરીટમાં સમાવેશ થયો છે.

બને શાળાના બાળકોની આ ઝળહળતી સફળતા મેળવવા બદલ શાળા પરીવાર દ્વારા બધા બાળકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ છે.