પ્રમાણિકતા : એસ.ટી. ડ્રાઇવરને રોકડ પુરસ્કાર અને પ્રમાણપત્ર એનાયત કરાયું

(રિપોર્ટર પંડયાજી વાંકાનેર) :રાજકોટ વિભાગીય નિયામકની કચેરી ગોંડલ રોડ ખાતે 15 મી ઓગસ્ટે સ્વાતંત્ર દિનની ઉજવણી પ્રસંગે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ઉપાધ્યક્ષ અને વહીવટી સંચાલક દ્વારા વાંકાનેર ડેપોના એસ.ટી. ડ્રાઇવર હમીદભાઈ એચ. કાદરી (ગ્રુપ સદસ્ય લોક સંસદ વિચાર મંચ – રાજકોટ) ને મુસાફર દ્વારા ભૂલી ગયેલ કીમતી મોબાઈલ પરત આપતા તેઓને નિગમ દ્વારા વિભાગીય નિયામક જે. બી. કલોતરાની ઉપસ્થિતિમાં રૂપિયા 1100 નો રોકડ પુરસ્કાર અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવેલ હતું.