વાંકાનેર પાસે રતન ટેકરી પર બિરાજમાન સ્વયંભૂ જડેશ્વર મહાદેવનાં સાનિધ્યમાં ૨૭મીએ સૌરાષ્ટ્રના પ્રથમ શ્રાવણી મેળાનો પ્રારંભ થશે

રાજ્યના કેબિનેટ પ્રધાનનાં હસ્તે મેળો ખુલ્લો મુકાશે જેમાં સૌરાષ્ટ્રભરમાંથી લોકો ઉમટી પડશે

(રિપોર્ટર પંડયાજી વાંકાનેર) : વાંકાનેર શહેરથી ૧૨ કિલોમીટરના અંતરે આવેલી રતન ટેકરી પર બિરાજમાન સ્વયંભૂ પ્રગટ દેવોના દેવ મહાદેવ જડેશ્વર મહાદેવના સાનિધ્યમા દર વર્ષે શ્રાવણ માસના બીજા સોમવારે જડેશ્વર મહાદેવનો પ્રાગટ્ય દિવસ નિમિતે ભવ્ય વરણાગી નીકળશે તેમજ પરંપરાગત સૌરાષ્ટ્રનો પ્રથમ મેળો યોજાય છે.ત્યારે આ વર્ષે પણ તા.૨૭.૦૮.૨૦૨૩ના રોજ સૌરાસ્ટ્રના પ્રથમ શ્રાવણી લોકમેળાને રાજ્યના મંત્રીઓના હસ્તે ખુલ્લો મુકાશે આ લોકમેળામાં સૌરાષ્ટ્રભરમાંથી જનમેદની ઉમટી પડે છે.

સૌરાષ્ટ્ર ગુજરાત સહિત કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર એવા રતન ટેકરી પર કુદરતી વાતાવરણમાં જંગલમાં બિરાજમાન સ્વંયભુ જ્ડેશ્વર મહાદેવનો શ્રાવણ માસનાં બીજા સોમવારે જડેશ્વરદાદાનાં પ્રાગટ્યદિન નિમીતે પરંપરાગત લોકમેળો યોજાય છે.મેળાને આગલા દિવસ રવિવારે ખુલ્લો મુકાય છે. ત્યારે આ વર્ષે તા.૨૭.૦૮.૨૦૨૩ને રવિવારના રોજ સવારે ૧૦:૦૦ કલાકે આ પરંપરાગત લોકમેળાનું ઉદ્ઘાટન રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા દ્વારા કરવામાં આવશે. કેબિનેટ મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષસ્થાને અને કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયાની વિશેષ ઉપસ્થિતિમાં સમગ્ર કાર્યક્રમ યોજાશે. જેનું આયોજન લોક સાંસ્કૃતિક મેળા સેવા સમિતિ દ્વારા કરવામાં આવ્યું છે.

આ તકે રાજ્યસભાના સાંસદ મોહનભાઇ કુંડારીયા, વાંકાનેર રાજવી અને રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા, વાંકાનેર-કુવાડવાના ધારાસભ્ય જીતુભાઇ કે. સોમાણી, મોરબી-માળીયાના ધારાસભ્ય કાંતીભાઇ અમૃતિયા, ટંકારા-પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઇ દેથરીયા, હળવદના ધારાસભ્ય પ્રકાશભાઇ વરમોરા, જામનગર ઉત્તરના ધારાસભ્ય રીવાબા આર. જાડેજા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્વયંભૂશ્રી જડેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ અને મેળા સેવા સમિતિ દ્વારા જહેમત ઉઠાવી રહ્યા છે.