મોરબી : હિતમ્ ચેરીટેબલ ટ્રસ્ટ અને NIMA દ્વારા ફ્રી અગ્નિકર્મ કેમ્પ યોજાશે

સ્વ. ઉષાબેન રવિચંદ જેસ્વાણીના સ્મરણાર્થે હિતમ્ ચેરીટેબલ ટ્રસ્ટ અને N. I. M. A., મોરબી દ્વારા મોરબીમાં ફરી એક નિઃશુલ્ક અગ્નિકર્મ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આ કેમ્પમાં ડૉ. પરેશ ડી. ડાભી સેવા આપશે. કેમ્પ નું સ્થળ “રૂદ્ર આયુર્વેદ & જનરલ હોસ્પિટલ, શિવ-શક્તિ પ્લાઝા, નાની કેનાલ ચોકડી, પંચાસર રોડ છે. આ પહેલાનાં કેમ્પસમાં મોરબીના લોકોએ બહોળી સંખ્યામાં લાભ લીધેલ.

23 ઓગસ્ટ, બુધવારના કેમ્પમાં રજીસ્ટ્રેશન ફ્રી અને ફરજીયાત છે. 92288 00108 પર વોટ્સએપ મેસેજ કરીને રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. કેમ્પમાં વધુમાં વધુ લોકો લાભ લે તેવી સાગરભાઈ રવિચંદ જેસ્વાણી – ટ્રસ્ટી, હિતમ્ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અપીલ કરવામાં આવે છે.

અગ્નિકર્મમાં સોનુ, ચાંદી, વિગેરે પંચધાતુ ની શલાકાને અગ્નિતપ્ત કરી દુઃખાવાની જગ્યાએ સ્પર્શ કરાવવામાં આવે છે. જેમાં ઢીંચણ, ગરદન, કમર, ઍડીના દુઃખાવા, સ્નાયુના દુ:ખાવા, ગાદી-નસ ના દુઃખાવા, ફ્રોઝન શોલ્ડર, ટેનિસ એલ્બો, માઈગ્રેન, સાયટીકા વિગેરે દુઃખાવામાં આરામ મળે છે.