
મોરબીમાં ન્યુ રીલીફ નગર મેઈન રોડ અરૂણોદયનગર પાસે આવેલ બાલમંદિર પાસે શ્રી બાલા હનુમાન મંદિર આવેલું છે અને આ મંદિરને 18 વર્ષ પૂર્ણ થાય છે અને 19 માં વર્ષમાં પ્રવેશ થયો છે ત્યારે ધુના, મહાઆરતી તથા મહાપ્રસાદનું આયોજન કરવામાં હતું હતું જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. અને મહાપ્રસાદનો લાભ લીધેલ હતો. ઉલેખનીય છે કે, શ્રી બાલા હનુમાન મંદિર ખાતે ગઇકાલ તા. 16/2 ના રોજ સાંજે 5 કલાકે ધુન મંડળ દ્વારા ધૂન રાખવામા આવી હતી ત્યાર બાદ સાંજે 7 વાગ્યે મહાઆરતી યોજાઇ હતી અને બાદમાં અરુણોદયનગર રિલિફનગર અને રોટરી નગર સહિતની આસપાસની સોસાયટીના લોકોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો.






