મોરબી : રામાયણ અને મહાભારતના જીવનોપયોગી પાઠ પર વક્તવ્ય

आ नो भद्रा : क्रतवो यन्तु विश्वतः ના વિચારને કેન્દ્રસ્થાને રાખી વિવિધતા અને વિશિષ્ટતાસભર કાર્યક્રમો અને આયામોના માધ્યમથી ભારતીય વિચાર તત્વને વિકસિત અને વિસ્તરીત કરવાના ધ્યેયથી કાર્યરત ભારતીય વિચાર મંચ- મોરબી. દ્વારા વર્તમાન સમયમાં રામાયણ અને મહાભારતના જીવનોપયોગી પાઠ વિષય પર એક જાહેર વ્યાખ્યાનનો કાર્યક્રમ રાખેલ છે.

આ કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે સુપ્રસિદ્ધ લેખિકા અને વક્તા સુશ્રી અમીબેન ગણાત્રા ઉપસ્થિત રહેવાના છે. અમીબેન IIM અમદાવાદમાં અભ્યાસ કરી વિશ્વની નામાંકિત સંસ્થાઓમાં કાર્ય કરી આ જ વિષય પર બેસ્ટસેલર પુસ્તકો લખી ચુક્યા છે તથા સમગ્ર દેશમાં આ વિષય પર અનેક કાર્યક્રમો પણ કરી ચુક્યા છે.

આ કાર્યક્રમ આગામી તારીખ 10 મી ડિસેમ્બર શનિવારે સંસ્કાર ઈમેજીંગ સેન્ટર હોલ ,પહેલો માળ જી.આઈ.ડી.સી. સનાળા રોડ, મોરબી. ખાતે સાંજે 6 થી 8 દરમિયાન યોજાશે. કાર્યક્રમનો લાભ લેવા મોરબીના પ્રબુદ્ધજનોને તથા યુવાન ભાઈઓ તથા બહેનોને ભારતીય વિચાર મંચ મોરબીના સંયોજક રવીન્દ્રભાઈ ત્રિવેદી તથા સહ સંયોજક ચિરાગભાઈ આદ્રોજાએ અપીલ કરી છે.