મોરબી તાલુકાની ઝીકિયાળી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતાં પ્રકાશભાઈ કુબાવત બાળ સાહિત્યકાર છે. તેમના બે પુસ્તક પ્રકાશિત થઈ ચૂક્યા છે. બંને પુસ્તકને પારિતોષિક મળેલ છે. પ્રથમ પુસ્તક ‘બાળપરીની વ્યથા ‘ ને બાળ સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળેલ છે જ્યારે બીજા પુસ્તક ‘પરીરાણીના દેશમાં’ને અંજુ-નરસી વિશિષ્ટ સન્માન-૨૦૨૩ ઘોષિત થયું.
ત્રીજા પુસ્તક ‘પંખીને પાંખો મળી’નું વિમોચન કાયવરણ ખાતે કરવામાં આવ્યું. વિમોચન પ્રવીણભાઈ ઠક્કર,યોગેશભાઈ ગઢવી,ગૌરવભાઈ ભટ્ટ, સતિષભાઈ વગેરેને હસ્તે સંપન્ન થયું. આ કાર્યક્રમમાં બીજા સાત પુસ્તકોનું પણ વિમોચન થયું.આ સ્નેહમિલનમાં એકાવન જેટલા કવિઓએ પોતાની કવિતાનું પઠન કર્યું.
![](https://sakshamsamachar.com/wp-content/uploads/2024/04/july-2022-1024x591.jpg)
![](https://sakshamsamachar.com/wp-content/uploads/2023/11/WhatsApp-Image-2023-11-03-at-5.28.49-PM.jpeg)