નવયુગ કોલેજ ખાતે પર્યાવરણ જાગૃતિ શિબિર યોજાઈ

નવયુગ કોલેજ ખાતે મધુરમ ફાઉન્ડેશન ના ઉપક્રમે પર્યાવરણ જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવેલ.
આ કાર્યક્રમમાં મધુરમ ફાઉન્ડેશનના પ્રમુખ ડૉ. મધુસુદન પારેખ તથા મોરબી જિલ્લા પર્યાવરણ રક્ષક મિત્ર મંડળના પ્રાણજીવન કાલરિયા તથા જીલેશભાઇ કાલરિયાએ ઉપસ્થિત રહી અંદાજે ૪૫૦ વિદ્યાર્થીઓને પર્યાવરણથી સર્જાયેલ આજની સમસ્યાનું નિરુપણ કરી, હવે શું કરવું જોઈએ તે બાબતે વિસ્તૃત માહિતી આપેલી.

આ કાર્યક્રમમાં સંસ્થા પ્રમુખપી.ડી.કાંજીયાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો જેમાં લોકભારતી વિદ્યાપીઠના પુર્વ નિયામક પ્રવિણચંદ્ર ઠકકર લિખિત પુસ્તક “જીવનની સાર્થકતા- સફળતાની સોનેરી ચાવીઓ” ની ૫૦૦ નકલનું કોલેજના વિદ્યાર્થીઓમાં વિતરણ કરાયું. આ સિવાય સગવડ ધરાવતા, વાવીને ઉછેર કરવા ઉત્સૂક વિદ્યાર્થીઓને ૧૦૦૦ ફળાઉ વૃક્ષોના રોપાઓનું વિતરણ પણ કરાયું.