મોરબીમા ત્રણ દિવસનો મેગા નિ:શુલ્ક ફિઝીયોથેરાપી કેમ્પ યોજાશે

મોરબી સંસ્કારધામ ઇમેજિંગ સેન્ટરના બીજા માળે રાહત દરે કાર્યરત ફિઝીયોકેર-ફિઝીયોથેરપી અને રીહેબિલીટેશન સેન્ટરની સામાકાંઠે બીજી બ્રાંચના શુભારંભ નિમીતે તા.૧૭, ૧૮, ૧૯ ડીસેમ્બર ૨૦૨૩ ના ત્રણ દિવસનો મેગા નિ:શુલ્ક ફિઝીયોથેરાપી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કેમ્પમાં ફિઝીયોથેરાપી સેન્ટરના હેડ ડો.કેશા અગ્રવાલ મગજ અને મણકા ની તકલીફનાં નિષ્ણાત માસ્ટર ઓફ ફિઝીયોથેરપી MPT (Neuro.),BPT, MIAP) તથા તેમની ફીઝીયોથેરાપી ટીમ સેવા આપશે.
આ કેમ્પનો લાભ
૧.કમર, ઘૂંટણ, ડોક, તથા અન્ય સાંધાના દુખાવા,
૨.સાયટીકા/ સાંધાના વા /ઘૂંટણ માં ઘસારા / ગાદી ખસવી
૩.હાથ – પગ તથા મોઢાના લકવા – પેરાલીસીસ,ખાલી ચડવાની સારવાર
૪.તમાકું, ગુટકા તથા મોઢા ના કેન્સર ના ઓપરેશન પછી જકડાયેલ મોં
૫.ફ્રેકચર તથા સાંધા બદલાવ્યા પછીની સારવાર
૬.ફ્રોઝન શોલ્ડર, ટેનિસ /ગોલ્ફર એલ્બો, પ્લાન્ટર ફસાયટીસ
૭.લીગામેન્ટ તથા સ્નાયુની સ્પોર્ટ્સ ઈજાઓ.
૮.પ્રેગનન્સી પહેલાં તથા પછીની તકલીફો. મેનોપોઝ પછીની તફલીકો, , ગર્ભાશયમાં ઑપરેશન તથા સિઝેરિયન પછીની કસરતો
૯.હાડકાની ઘનતા વધારવાની સલાહ વગેરે તકલીફઓ વાળા દર્દી..

આ કેમ્પમાં ફાઇલ એક્સરે તથા રિપોર્ટ કરાવેલ હોય તે સાથે લાવવાના રહેશે તેમજ રજીસ્ટ્રેશન માટે
મો.8160282456, 9979435494 પર સંર્પક કરવો.

કેમ્પ સ્થળ : સંસ્કાર ફિઝીયોકેર સામકાંઠે બ્રાંચ :વી એન સી કોમ્પલેક્ષ, બીજા માળે શોપ નં. ૨૦૮, ૨૦૯, ગોપાલ સોસાયટી, મહારાણા પ્રતાપ રોડ, મોરબી-૨.
તારીખ:- ૧૭,૧૮,૧૯ ડિસેમ્બર ૨૦૨૩, સમય :- સવારે ૮:૩૦ થી ૧૨:૩૦ અને સાંજે: ૩:૦૦ થી ૭:૦૦