વાંકાનેરના અરણીટીંબા તથા કોઠારીયા ગામને ODF plus model જાહેર કરી અભિનંદન પ્રમાણપત્ર એનાયત કરાયા

સરકારની વિવિધ યોજનાઓના લાભ છેવાડાના લોકો સુધી પહોંચે તે માટે  સમગ્ર ગુજરાત માં  ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું છે. દરેક લોકો કલ્યાણકારી યોજનાઓના લાભને ઘર આંગણે મેળવી શકે તે માટે વિકસિત ભારતના સંકલ્પ રથની શરૂઆત કરવામાં આવી છે.

         મોરબી જિલ્લાના ગામોમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ ના રથ ભ્રમણ કરી રહ્યા છે. આ રથ દ્વારા સરકારની વિવિધ લોક કલ્યાણકારી યોજનાઓની માહિતી ગ્રામજનો સુધી અસરકારક રીતે રજૂ કરવામાં આવી રહી  છે. ગ્રામ્ય કક્ષાએ સ્વચ્છતા અભિયાન અન્વયે કરેલ ઉમદા કાર્યો બદલ ગ્રામ પંચાયતોને  પ્રમાણપત્ર એનાયત કરવામાં આવી રહ્યા છે.

વાંકાનેરના અરણીટીંબા તથા કોઠારીયા ખાતે  ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નું  આગમન થયું હતું. સ્વચ્છ ભારત મિશન (ગ્રામ્ય) યોજના હેઠળ  ODF plus model ના પેરામીટર ધરાવતા હોય તેવા ગામોને અભિનંદન આપી સન્માનિત કરવામાં આવે છે. ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ દરમિયાન વાંકાનેર તાલુકાના અરણીટીંબા તથા કોઠારીયા ગામને સ્વચ્છ ભારત મિશન (ગ્રામ્ય) યોજના હેઠળ ગ્રામ પંચાયતને ODF plus Model જાહેર કરી  સરપંચઓને અભિનંદન પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.