(રિપોર્ટર પંડયાજી વાંકાનેર) વાંકાનેર : ઔદિચ્ય બ્રાહ્મણ સમાજની વાડી ખાતે કાર્યક્રમ માટે ઉપયોગી પોડિયમ માટે વાંકાનેરના મયુરભાઈ મહેતાએ સ્નેહ મિલન ૨૦૨૩ નાં કાર્યક્રમ સમયે પોડીયમ ભેંટ કરવાની જાહેરાત કરેલ હતી જે આજે ઔદિચ્ય બ્રાહ્મણ સમાજનાં ઉપપ્રમુખ સુરેશભાઇ ભટ્ટની ઉપસ્થિતિમાં ઔદીચ્ય બા્હમણ જ્ઞાતી ને સુપ્રત કરેલ.
આ તકે દાતા અને બ્રહ્મ સમાજના અગ્રણીઓ રમેશભાઇ મહેતા તથા તેના બને પુત્રો મયુરભાઈ તથા આનંદભાઈ ઉપસ્થિત રહ્યા હતા. મહેતા પરિવાર દ્વારા સમાજને પોડિયમ ની ભેદ અર્પણ કરવામાં આવતા બ્રહ્મસમાજ દ્વારા આનંદની લાગણી સાથે દાતા પરિવારને અભિનંદન પાઠવ્યા હતા.
![](https://sakshamsamachar.com/wp-content/uploads/2024/04/july-2022-1024x591.jpg)
![](https://sakshamsamachar.com/wp-content/uploads/2023/11/WhatsApp-Image-2023-11-03-at-5.28.49-PM.jpeg)