મોરબી જીલ્લા ભાજપ દ્વારા વિર બાલ દિવસ નિમિતે કાર્યક્રમ યોજાયો

મોરબી જીલ્લા ભાજપ દ્વારા વિર બાલ દિવસ નીમીતે નવયુગ સંકુલ ખાતે આયોજન કરવામાં આવ્યું જેમાં શીખો ના 10 માં ગુરુ ગોવિંદસિંહજી ના પુત્રો ની શહાદત ની યાદ માં કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું અને શીખો ના પરાક્રમ અને શોર્ય થી સૌ ને માહિતગાર કર્યા

આ તકે મોરબી જીલ્લા ભાજપ ના મહામંત્રી કે એસ અમૃતિયા અને જેઠાભાઇભાઈ મિયાત્રા,મોરબી જીલ્લા ભાજપના મંત્રી નીરજભાઈ ભટ્ટ, મોરબી તાલુકા પ્રમુખ અરવિંદભાઈ વાંસજાળીયા,ટંકારા તાલુકા પ્રમુખ કિરીટભાઈ અંદરપા,માળીયા તાલુકા પ્રમુખ મણિલાલ સરડવા હળવદ તાલુકા પ્રમુખ મનસુખભાઇ ગોરીયા, વિરપરના સરપંચ મહેશભાઈ, ટંકારા તાલુકા પંચાયત ના પ્રમુખ વસંતભાઈ માંડવીયા સહિત જીલ્લા ના અને મોરચા ના હોદેદારો આગેવાનો અને કાર્યકર્તા સહિતના ઓ એ હાજરી આપી સંસ્કૃતિ ને બચવવા માટે આપેલા બલિદાન ની વાત થી સૌ ને અવગત કરાયા હતા

આ વીર બાલ દિવસ ના આયોજન માટે નવયુગ સંકુલ ના પી.ડી. કાંજીયા ને સ્ટાફ દ્વારા ડોકયુંમેન્ટરી ફિલ્મ પણ બતાવવા માં આવી હતી.