સરપંચે પોતાના હોદ્દોનો દુરુપયોગ કરીને પોતાના અંગત ઉપયોગ માટે ગૌચરની માટીનો ઉપયોગ કરેલ હોય મોરબી ડી.ડી.ઓ. દિગ્વિજયસિંહ ડી. જાડેજા(IAS) એ નાના દહીંસરા ગ્રા.પં.નાં સરપંચને હોદ્દા પરથી દૂર કર્યા
મોરબી જિલ્લામાં માળિયા(મી.) તાલુકાના નાના દહીંસરા ગ્રામ પંચાયતના સરપંચ પ્રવિણભાઇ ગણેશભાઈ ભટાસણા એ નાના દહીંસરા ગામના ગૌચરની જાળવણી કરવાને બદલે પોતાના અંગત હિત માટે ગૌચરની જમીનમાંથી ૮૦ મીટર લાંબુ, ૧૫ મીટર પહોળું તેમજ ૨ મીટર ઊંડું ખોદકામ કરીને માટીનો ઉપયોગ કરેલ.
![](https://sakshamsamachar.com/wp-content/uploads/2024/04/july-2022-1024x591.jpg)
આમ, સરપંચે પોતાની સત્તાનો દુરુપયોગ કરીને પોતાના અંગત ઉપયોગ માટે ગૌચરની માટીનો ઉપયોગ કરેલ હોય, ફરજ બજાવવામાં દુર્વર્તન બદલ ગુજરાત પંચાયત અધિનિયમ-૧૯૯૩ ની કલમ-૫૭(૧) હેઠળ જિલ્લા વિકાસ અધિકારી, મોરબી દિગ્વિજયસિંહ ડી.જાડેજા દ્વારા નાના દહીંસરા ગ્રા.પં.નાં સરપંચ પ્રવિણભાઇ ગણેશભાઈ ભટાસણા ને સરપંચનાં હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા.
![](https://sakshamsamachar.com/wp-content/uploads/2023/11/WhatsApp-Image-2023-11-03-at-5.28.49-PM.jpeg)