(અહેવાલ: જયેશ બોખાણી) – મોરબીમાં સામાકાંઠે રાહત દરે કાર્યરત સંસ્કાર ફિઝીયોકેર સેંટર અને ઉમા ટાઉનશીપ પરીવારના સંયુક્ત ઉપક્રમે ગઇકાલે તા.7 ને રવિવારના રોજ નિ:શુલ્ક ફિઝીયોથેરાપી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 70થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો. આ કેમ્પમાં મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ વિશેષ હાજરી આપી હતી.
આ કેમ્પમાં ફિઝીયોથેરાપી સેન્ટરના હેડ ડો.કેશા અગ્રવાલ મગજ અને મણકાની તકલીફનાં નિષ્ણાત માસ્ટર ઓફ ફિઝીયોથેરપી MPT (Neuro.),BPT, MIAP) તથા તેમની ફીઝીયોથેરાપી ટીમે સેવા આપી હતી. આ કેમ્પને સફળ બનાવવા માટે જે.પી.જેસવાણી, મનુભાઈ જકાસણીયા તથા ઉમા ટાઉનશીપ પરીવારના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.
![](https://sakshamsamachar.com/wp-content/uploads/2024/04/july-2022-1024x591.jpg)
![](https://sakshamsamachar.com/wp-content/uploads/2023/11/WhatsApp-Image-2023-11-03-at-5.28.49-PM.jpeg)