રાણેકપરના શિક્ષક દ્વારા દીકરીના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી

રાણેકપર પ્રાથમિક શાળામાં નોકરી કરતા કટેશીયા રણજીતભાઈ પોતાની દીકરી ચિ.માહીના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી. શાળાના તમામ બાળકોને પાણીપુરી ની મોજ કરાવી અને શાળાના તમામ બાળકોને શૈક્ષણિક કીટ અર્પણ કરી બાલદેવો ભવ નો નારો સાર્થક કર્યો.

આ તકે શાળાના આચાર્ય અનિલ પનારા અને શાળાનો તમામ સ્ટાફ રણજીતભાઈ અને માતા દિપીકાબેનની વહાલસોયી દીકરીને શુભેચ્છા પાઠવે છે.