મોરબી : સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર મરણોત્તર સહાય યોજનાનો લાભ લેવા અનુસૂચિત જાતિના લોકોને અનુરોધ

અરજદાર https://esamajkalyan.gujarat.gov.in પર અરજી કરી શકશે

ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હેઠળ નિયામક, અનુ.જાતિ કલ્યાણ, ગાંધીનગરની કચેરી મારફત અમલી સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર મરણોત્તર સહાય યોજનામાં મોરબી જિલ્લાના અનુસૂચિત જાતિના લોકોની નબળી આર્થિક પરિસ્થિતિના કારણે કુટુંબમાં સભ્યના મૃત્યુના પ્રસંગે મૃતકના પાર્થિવદેહની અંત્યેષ્ટિ માટે/મરણોત્તર ક્રિયા માટે અર્થાત કફન-કાઠિના ખર્ચને પહોંચી વળવા માટે નાણાકીય સહાય આપવામાં આવે છે.

આ યોજનાનો લાભ મોરબી જિલ્લાના અનુસૂચિત જાતિના લોકોને મળવાપાત્ર છે. જેમાં આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે રૂ. ૬,૦૦,૦૦૦/‌- તથા શહેરી વિસ્તાર માટે રૂ. ૮,૦૦,૦૦૦/- રાખવામાં આવેલ છે. આ યોજનાની અરજી https://esamajkalyan.gujarat.gov.in પર (૧) મરણનું પ્રમાણપત્ર (૨) જાતિનુ પ્રમાણપત્ર (૩) આવકનો દાખલો (૪) અરજદારનુ આધારકાર્ડ (૫) બેંક પાસબુકની નકલ સહિતના આધારો સાથે ઓનલાઇન અરજી કરવાની રહેશે. તેમ નાયબ નિયામક અનુ.જાતિ કલ્યાણ, મોરબીની અખબારી યાદીમાં જણાવાયું છે.