હાલ ખૂબ જ મોટી સંખ્યામાં પોલીસ વિભાગમાં ભરતી આવી છે ત્યારે PSI/ કૉન્સ્ટેબલની પરીક્ષા માટે ફ્રી માર્ગદર્શન સેમિનારનું આયોજન નવયુગ કૅરિયર ઍકેડેમી દ્વારા કરવામાં આવ્યું છે.
મોરબીનાં યુવાન/યુવતીઓને સારું માર્ગદર્શન મળે તેમજ પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી? શું વાંચવું? તેમજ કયા વિષયમાં કેટલું પુછાય? તેવા અનેક પ્રશ્નોના જવાબ આ સેમિનારમાં મળશે.
![](https://sakshamsamachar.com/wp-content/uploads/2024/04/july-2022-1024x591.jpg)
સ્પર્ધાત્મક પરીક્ષાના નિષ્ણાત તેમજ મોટીવેશનલ વક્તાશ્રી પ્રતિકભાઇ કાછડિયા તેમજ જગતદાન ગઢવી સાહેબ આ સેમિનારમાં માર્ગદર્શન આપશે. વિશેષ ઉપસ્થિતિમાં ડીવાયએસપી સાહેબશ્રી સમીર સારડાસર પણ માર્ગદર્શન આપશે. મોરબીના તમામ વિદ્યાર્થી મિત્રોને આ સેમિનારનો લાભ લેવા આહ્વાન કરવામાં આવે છે.
આપ 97272 47472 પર whatsup કરી પોતાનું નામ નોંધાવી શકો છો.
સેમિનાર તારીખ 28/04/24, રવિવાર, સમય – સવારે 9 થી 11, સ્થળ- સંસ્કાર ઇમેજિંગ સેન્ટર સેમિનાર હોલ, Gidc, સનાળા રોડ, મોરબી
![](https://sakshamsamachar.com/wp-content/uploads/2023/11/WhatsApp-Image-2023-11-03-at-5.28.49-PM.jpeg)