મોરબી: ભગવાન પરશુરામદાદા ની જન્મજયંતિ ની ધામધૂમ થી ઉજવણી કરાઈ

મૉરબી મા શ્રી પરશુરામ યુવા ગૃપ પ્રમુખ અતુલભાઈ જૉષી નેતેની યુવા ટીમ દ્વારા ભગવાન શ્રી પરશુરામ દાદા ની જન્મ જયંતી ની ધામધૂમ થી ઉજવણી કરાઈ હતી શહેરના માર્ગો પર ભગવાન શ્રી પરશુરામ દાદા ની ભવ્ય શોભાયાત્રા ધામધૂમ થી વાજતે ગાજતે રાસગરબા ની રમજટ વચ્ચે યુવાનો દ્વારા તલવાર બાજી સહીત રમતો સાથે શોભાયાત્રા નિકળી હતી નહેરૂ ગેઈટ ચૉકમા પત્રકાર એશૉસીએશન દ્વારા પ્રમુખ સુરેશભાઈ ગોસ્વામી સહીત, અતુલભાઈ જૉષી, ભાસ્કર જૉષી, રુષી મહેતા, પંકજ સનારીયા, દેવ સનારીયા, મહિન્દ્રસિહ જાડેજા, જીગ્નેશ ભટ્ટ, હિમાંશુ ભટ્ટ સહીત પત્રકાર મિત્રૉ એ શોભાયાત્રા નુ સ્વાગત કર્યું હતુ

ભગવાન શ્રી પરશુરામ દાદા ને હારતોરા કરાયા હતા આ તકે પત્રકાર એશૉસીએશન પ્રમુખ સુરેશભાઈ ગોસ્વામી નુ શ્રી પરશુરામ યુવા ગૃપ અને બ્રહ્મ સમાજ આગેવાનો એ સન્માન કર્યું હતુ આ શોભાયાત્રા માં પરશુરામધામ ના પ્રમુખ ભુપતભાઈ પંડ્યા સહિત બ્રહ્મ સમાજ ના આગેવાનો ને બહોળી સંખ્યા માં બ્રહ્મ સમાજ ઉમટી પડ્યો હતો