શ્રી હરિ સાર્ધ શતાબ્દી મહોત્સવમાં આચાર્ય શ્રી કૌશલેન્દ્રપ્રસાદજી મહારાજ પધારશે 

ઐતિહાસીક શ્રી સ્વામીનારાયણ મંદિર દરબારગઢ મોરબી માં બિરાજતા શ્રી ઘનશ્યામ મહારાજ ને 150 વર્ષ થયાં જેના ઉપલક્ષ્ય માં આગામી તારીખ 17-5-2024 થી 23-5-2024 સુધી ભવ્યાતિભવ્ય અને દિવ્યાતિદિવ્ય શ્રીહરિ સાર્ધ શતાબ્દી મહોત્સવ ઉજવાય છે

જેમાં આવતીકાલે (20-5-2024) ના રોજ પારાયણ દરમિયાન નરનારાયણદેવ ગાદી પીઠાધીપતિ પ.પૂ.ધ.ધુ. આચાર્ય ૧૦૦૮ શ્રી કૌશલેન્દ્રપ્રસાદજી મહારાજ પધારશે અને રુડા આશીર્વચન આપશે, તો દરેક ધર્મપ્રેમી જનતા ને લાભ લેવા વિનંતી. સ્થળઃ સનસીટી ગ્રાઉન્ડ ક્રિષ્ના સ્કૂલ પાછળ, રવાપર રોડ, મોરબી