ધો.5 અને ધો.8 માં લેવાયેલ મુખ્યમંત્રી જ્ઞાનસેતુ સ્કોલરશીપ પરીક્ષા અને મુખ્યમંત્રી જ્ઞાનસાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષામાં શ્રી સજનપર પ્રા. શાળાના બાળકોએ શ્રેષ્ઠ પરિણામ મેળવી શાળાનું ગૌરવ વધારેલ છે અને ધો.5 માં 6 બાળકો ધો.6 થી 12 સુધીની રેસિડેન્સીયલ શાળામાં વિનામૂલ્યે પ્રવેશ માટે લાયક થયા છે
જ્યારે ધો.8 માં 10 બાળકો રૂ. 94000 જેટલી સ્કોલરશીપ મેળવવા માટે લાયક થયા છે આ તકે શ્રેષ્ઠ પરિણામ મેળવનાર તમામ બાળકો અને આ બાળકોને આખું વર્ષ તૈયારી કરવાનાર તેમના માર્ગદર્શક શિક્ષકશ્રી વિરામગામા મીનાબેન ડી. અને દેત્રોજા ભારતીબેન પી. ને શાળા પરિવાર અને આચાર્ય અલ્પેશભાઈ પૂજારાએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ છે.
![](https://sakshamsamachar.com/wp-content/uploads/2024/04/july-2022-1024x591.jpg)
![](https://sakshamsamachar.com/wp-content/uploads/2023/11/WhatsApp-Image-2023-11-03-at-5.28.49-PM.jpeg)