હળવદ તાલુકાના ગામોના ખેતરોમાંથી પસાર થતી ૭૬૫ કે.વી. લાકડીયા અમદાવાદ ટ્રાન્સમીશન લાઇનની રજૂઆત મોકુફ રખાઈ

હળવદ તાલુકાના ગામોના ખેતરોમાંથી પસાર થતી ૭૬૫ કે.વી. લાકડીયા અમદાવાદ ટ્રાન્સમીશન લાઇનની તા.૨૦/૦૯/૨૦૨૩ એ રાખેલ વાંધા રજૂઆત અનિવાર્ય કારણોસર મોકુફ રખાઈ

ભારત સરકારના જાહેર સાહસ પાવર ગ્રીડ દ્વારા ૭૬૫ કે.વી. લાકડીયા અમદાવાદ ટ્રાન્સમીશન લાઇન હળવદ તાલુકાના ધુળકોટ, મયુરનગર, ચાડધ્રા, રાયસંગપર, જુના અમરાપર, નવા ઘનશ્યામગઢ, નવા અમરાપર, ઇશનપુર, વેગડવાવ, મંગળપુર ગામના ખેડુતોના ખેતરમાંથી પસાર થનાર હોઈ, ઉપરોક્ત ગામના ખાતેદારઓ તરફથી વાંધા રજૂઆત સાભળવા માટે હળવદ સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ દ્વારા તા.૨૦/૦૯/૨૦૨૩ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે, મામલતદાર કચેરી, હળવદ ખાતે રૂબરૂ હાજર રહેવા જણાવવામાં આવેલ પરંતુ અનિવાર્ય કારણોસર તા.૨૦/૦૯/૨૦૨૩ ની મુદત મોકુફ રાખવામાં આવેલ છે. આગામી મુદ્દતની જાણ ટૂંક સમયમાં તમામ સંબંધિત ખેડૂત ખાતેદારઓને કરવામાં આવશે તેમ હળવદ સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ હર્ષદિપ કે. આચાર્યની યાદીમાં જણાવાયું છે.